ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા ગુમ થયેલ યુવાનની ભાળ મળી


SHARE













મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા ગુમ થયેલ યુવાનની ભાળ મળી

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી સીતાબેન બલભાઇ ગોપાલભાઇ ધુન્કેલ જાતે સોની (ઉંમર ૩૩) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ બલભાઇ ગોપાલભાઇ ધૂન્કેલ સોની (ઉંમર ૩૩) રહે.હાલ આલાપ રોડ શ્રીરામ સોસાયટી મૂળ રહે.વિવસ્તીનગર તા.ધનગડી જી.કૈલાલી નેપાળ વાળો ગત તા.૨૦-૭ ના વહેલી સવારે ચાર વાગ્યે કોઇને કંઇ કહ્યા વગર ગુમ થઈ ગયો હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં ગઈકાલે ગુમ થયેલા બલભાઈનો તેમના ભાઈને ફોન આવ્યો હતો કે તે પોતે રેલ્વે સ્ટેશન પાસે આવેલ ચાઈનીઝની લારીએ છે જેથી કરીને ત્યાં જઈને તેઓને ઘરે લાવવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.બાદમાં ગુમ થયેલ યુવાને પોલીસને આપેલા નિવેદનમાં યુવાને જણાવ્યું હતું કે તેઓના પત્ની સીતાબેનની સાથે તેઓને બોલાચાલી ઝઘડો થયો હતો અને તે ગુસ્સાના લીધે તે ઘર છોડીને ચાલયો ગયો હતો..!

વાહન અકસ્માતમાં ઘવાયેલ આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના મકનસર ગામે રહેતા અને મૂળ યુપીના અમિતેશ્ર્વર કે.વર્મા નામના ૫૦ વર્ષના આધેડને વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસે આવેલી ચામુંડા હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.બાઇક સ્લીપ થઇ જવાને લીધે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.






Latest News