મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા


SHARE







મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા

રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી પડતર માગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ પણ તેમાં જોડાયેલ છે જેથી કરીને ગામડાઓમાં પંચાયત ઓફિસે કામ કરવા માટે જતાં અરજદારોને ધક્કા થઈ રહ્યા છે


રાજ્યના તલાટીઓ  છેલ્લા ઘણા સમયથી તેના જુદાજુદા પ્રશ્નોને લઈને સરકાર સામે લડી રહ્યા છે જો કે, સરકાર તેના પ્રશ્ન ઉકેલતી નથી જેથી કરીને વણઉકેલ માગણીઓ માટે આજથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૨૨૫ જેટલા તલાટી કમ મંત્રીઓ તેમાં જોડાયા છે તેવું મોરબી જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ ભાવેશભાઈ ફૂલતરિયા અને મહામંત્રી હુંબલ રવિભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું

આજથી મોરબી જિલ્લાના ગામડાઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ ગયેલ છે અને લોકોને ધક્કા થઈ રહ્યા છે જો કે, તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન-સન્માન સાથે ફરકાવશે તેવું કહ્યું હતું અને આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે જેથી કરીને લોકોને તેના રોજીદા કામ માટે લોકોને હેરાન થવું પડે છે






Latest News