ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા


SHARE













મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા: અરજદારોને ધક્કા

રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા આજથી પડતર માગણીઓને લઇને અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લાના ૨૨૫ તલાટી કમ મંત્રીઓ પણ તેમાં જોડાયેલ છે જેથી કરીને ગામડાઓમાં પંચાયત ઓફિસે કામ કરવા માટે જતાં અરજદારોને ધક્કા થઈ રહ્યા છે


રાજ્યના તલાટીઓ  છેલ્લા ઘણા સમયથી તેના જુદાજુદા પ્રશ્નોને લઈને સરકાર સામે લડી રહ્યા છે જો કે, સરકાર તેના પ્રશ્ન ઉકેલતી નથી જેથી કરીને વણઉકેલ માગણીઓ માટે આજથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ૨૨૫ જેટલા તલાટી કમ મંત્રીઓ તેમાં જોડાયા છે તેવું મોરબી જિલ્લા તલાટી મંત્રી મંડળના પ્રમુખ ભાવેશભાઈ ફૂલતરિયા અને મહામંત્રી હુંબલ રવિભાઈએ માહિતી આપતા જણાવ્યુ હતું

આજથી મોરબી જિલ્લાના ગામડાઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ ગયેલ છે અને લોકોને ધક્કા થઈ રહ્યા છે જો કે, તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન-સન્માન સાથે ફરકાવશે તેવું કહ્યું હતું અને આ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે જેથી કરીને લોકોને તેના રોજીદા કામ માટે લોકોને હેરાન થવું પડે છે






Latest News