મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત


SHARE













વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત

વાંકાનેર નજીક આવેલ સીરામીક કારખાના પાસે યુવાન ઈલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં તેને વીજશોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતો અર્જુનસિંહ ભુપતસિંહ બારીયા (ઉમર ૩૦) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ કયુટોન સીરામીક પાસે ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને વીજશોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને અરવિંદસિંહ બારીયા રહે.ભોજપરા તા.વાંકાનેર વાળા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાથ કપાઈ જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપર મિલમાં કામ દરમ્યાન હાથ મશીનમાં આવી ગયો હોવાથી મજુર યુવાનને સારવારમાં લઇ જવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલસમાર ઈકબાલભાઈ નામનો ૨૨ વર્ષીય પરપ્રાંતિય મજૂર યુવાન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન તેનો હાથ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો.જેથી કરીને તેને ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીના ગીતાંજલી હાઈટમાં રહેતા શાંતિલાલ લક્ષ્મણભાઈ પનારા નામના ૫૧ વર્ષીય આધેડ વાહનમાં જતા હતા ત્યારે તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહે આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે








Latest News