મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના નાના દહીંસરા ગામે વાડાની ઓરડીમાંથી ૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો : એકની શોધખોળ


SHARE













માળીયા (મિં.)ના નાના દહીંસરા ગામે વાડાની ઓરડીમાંથી ૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો : એકની શોધખોળ

માળીયા (મી)તાલુકાના નાના દહીસરા ગામે વાડામાં આવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની ૮૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૨૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના નાના દહીંસરા ગામે ઈરફાનભાઇ અલીભાઈ સુમરાના કબ્જા વાળા વાડાની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી સમરથસિંહ ઝાલા અને વિપુલભાઇ ડાંગરને મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઈરફાનભાઇ સુમરાના વાડામાં બનાવેલ ઓરડીમાંથી દારૂની ૮૬ બોટલો મળી આવી હતી.જેથી હાલમાં પોલીસે ૩૨,૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને વાડામાં બનાવવામાં આવેલ ઓરડીમાં રહેતા અનિલભાઈ અરજણભાઈ ચાવડા જાતે કોળી (ઉંમર ૨૫) રહે.હાલ કાંતિનગર વસંતરાય હોટલ પાછળ મોરબી-૨ મૂળ રહે.હરીપર તા.માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને વાડાનો માલિક ઈરફાનભાઇ અલીભાઈ સુમરા હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મારામારીમા ઈજા

મોરબીના પીપળી ગામે રહેતા નિર્મળાબેન સૂર્યકાંતભાઈ પટેલ નામના ૫૦ વર્ષના મહિલાને મહેન્દ્રનગર ગામે મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓના જમાઈ કિશોરભાઈ તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવ્યા હતા બનાવી જાણ તથા પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ધાંગધ્રા નજીક આવેલ કંકાવટી ગામે રહેતો રમેશ મગનભાઈ ડાભી નામનો ૩૫ વર્ષીય યુવાન બાઈક લઈને હળવદના શક્તિનગર ગામ પાસેથી જતો હતો ત્યારે ત્યાં આવેલ નકલંકધામ મંદિર પાસે તેનું બાઈક ગાય સાથે અથડાતા ઇજાઓ થવાથી તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.








Latest News