મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા કરાયું વૃક્ષા રોપણ


SHARE







મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા કરાયું વૃક્ષા રોપણ

ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના પ્રમુખ પંકજભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આજે મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા હળવદ તાલુકા પંચાયત ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવેલ જેમાં મોરબી જિલ્લા તલાટી મંડળના મહામંત્રી રવિભાઈ હુંબલ, ઉપપ્રમુખ યોગેશ પટેલ, પ્રવક્તા અશ્વિનભાઈ ચાવડા, માળિયા પ્રમુખ વિશાલ ડાંગર, રાજ્ય પ્રતિનિધિ બલભદ્રસિંહ ઝાલા, વિમલભાઈ ચંદ્રાલા, તથા હળવદ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અમિત કૈલા, મહામંત્રી સાગર વરસડા તથા જિલ્લાના તમામ તલાટી મિત્રો સાથે વક્ષા રોપણ કરવામાં આવ્યું હતુ.

હળવદમાં ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, સરા રોડ આઇ.ટી.આઇ. હળવદ ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી-મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News