મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જીએસટીના વિરોધમાં ધરણાં-સૂત્રોચ્ચાર
અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ
SHARE
અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ
વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકે, આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળો યોજાશે કે કેમ તેને લઈને અવઢવ છે કેમ કે, ગણેશ મહોત્સવ સમિતિ સહિત બે પાર્ટી દ્વારા મેળાના મેદાનની માંગણી કરવામાં આવી છે અને જેનો ભાવ ઊંચો છે તેને મેળો ખોટી રીતે આપવામાં આવે છે તેવી પરદેશી કમિશ્નરમાં અરજી કરવામાં આવેલ છે જેથી કરીને હવે મેળાના મેદાની હરરજી માટે ફરીથી પ્રક્રિયા કરવાનો આદેશ કરવામાં આવેલ છે
વાંકાનેર નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે ગણેશ મહોત્સવ સમિતિને વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ વતી રાકેશભાઈ ઝાલા દ્વારા આ મેળાના મેદાન માટે થઈને અરજી કરવામાં આવી હતી તો સામાપક્ષેથી એનસીપીના પૂર્વ ઉમેદવાર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી અને અમુભાઈ ઠાકરાણીએ મેળાના મેદાન માટે ૨.૦૫ લાખની ઓફર કરી હતી જો કે, ગણેશ મહોત્સવ સમિતિએ ૨.૫૫ લાખની ઓફર કરી હતી જેથી તેને મેદાન મળે તેવી શક્યતા હતી જો કે, અમુભાઈ દ્વારા મેળાના મેદાનની ખોટી રીતે ફાળવણી કરવામાં આવી રહી છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી છે જેથી કરીને પ્રદેશિક કમિશ્નરે મેળાના મેદાન માટે ફરીથી હરરજી કરવાનો આદેશ કર્યો છે ત્યારે હવે કયારે હરરજી કરવામાં આવશે અને મેળાનું આયોજન કરવામાં આવશે કે કેમ તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે