ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ


SHARE













અવળચંડાઈની હદ વટોળી !:વાંકાનેરમાં જન્માષ્ટમીના લોકમેળાની ફરીથી હરરજી કરવા આદેશ

વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે જોકે, આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ ઉપર મેળો યોજાશે કે કેમ તેને લઈને અવઢવ છે કેમ કે, ગણેશ મહોત્સવ સમિતિ સહિત બે પાર્ટી દ્વારા મેળાના મેદાનની માંગણી કરવામાં આવી છે અને જેનો ભાવ ઊંચો છે તેને મેળો ખોટી રીતે આપવામાં આવે છે તેવી પરદેશી કમિશ્નરમાં અરજી કરવામાં આવેલ છે જેથી કરીને હવે મેળાના મેદાની હરરજી માટે ફરીથી પ્રક્રિયા કરવાનો આદેશ કરવામાં આવેલ છે

વાંકાનેર નગરપાલિકા વિસ્તારની અંદર દર વર્ષે ગણેશ મહોત્સવ સમિતિને વાંકાનેર પાલિકા દ્વારા નિયમ પ્રમાણે ચાર્જ વસૂલ કરીને મેળાનું મેદાન આપવામાં આવતું હોય છે અને ત્યાં મેળાનું આયોજન કરવામાં આવે છે જોકે આ વર્ષે ગણેશ મહોત્સવ સમિતિ વતી રાકેશભાઈ ઝાલા દ્વારા આ મેળાના મેદાન માટે થઈને અરજી કરવામાં આવી હતી તો સામાપક્ષેથી એનસીપીના પૂર્વ ઉમેદવાર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી દ્વારા મેળાના મેદાન માટે અરજી કરવામાં આવી હતી અને અમુભાઈ ઠાકરાણીમેળાના મેદાન માટે ૨.૦૫ લાખની ઓફર કરી હતી જો કે, ગણેશ મહોત્સવ સમિતિ૨.૫૫ લાખની ઓફર કરી હતી જેથી તેને મેદાન મળે તેવી શક્યતા હતી જો કે, અમુભાઈ દ્વારા મેળાના મેદાનની ખોટી રીતે ફાળવણી કરવામાં આવી રહી છે તેવી પ્રદેશ્ક કમિશ્નરની કચેરીમાં અરજી કરવામાં આવી છે જેથી કરીને પ્રદેશિક કમિશ્નરે મેળાના મેદાન માટે ફરીથી હરરજી કરવાનો આદેશ કર્યો છે ત્યારે હવે કયારે હરરજી કરવામાં આવશે અને મેળાનું આયોજન કરવામાં આવશે કે કેમ તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે 






Latest News