ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જીએસટીના વિરોધમાં ધરણાં-સૂત્રોચ્ચાર


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જીએસટીના વિરોધમાં ધરણાં-સૂત્રોચ્ચાર

કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય વસ્તુઓ ઉપર પણ જીએસટી નાખવામાં આવેલ છે ત્યારે પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામે વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા, તાલુકા અને શહેર કોંગ્રેસનાં આગેવાનો તેમજ યુથ, એનએસયુઆઈના હોદેદારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે, તાજેતરા સરકારે ઘઉંનો લોટ ,મધ,ગોળ, અનાજ, દુધ, દહી, પનીર જેવી વસ્તુઓ પર જીએસટી લગાવેલ છે જેથી કરીને મોંઘવારી વધી છે ત્યારે લોકો ઉપર અસહ્ય બોજ વધી ગયો હોવાથી કોંગ્રેસ દ્વારા લોકોનો આવાજ બનીને ભાજપ સરકાર સામે વિરોધ વ્યકત કરશે ત્યારે મોરબી જિલ્લા  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ, માજી પ્રમુખ મુકેશભાઇ ગામી, તાલુકા કોંગેસના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મહેશભાઇ રાજ્યગુરુ, અશ્વિનભાઈ વિડ્જા, ચેતનભાઈ એરવાડીયા, હનીફભાઇ પાયક, રાજુભાઇ જીલરિયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ચિંતન રાજ્યગુરુ સહિતના કોંગ્રેસનાં આગેવાનો હોદેદારો સહિતના હાજર રહ્યા હતા અને ખાદ્ય વસ્તુઓની સાથોસાથ જીએસટી ગરબા ઉપર ૧૮ ટકા નાખવામાં આવેલ છે તેનો પણ વિરોધ કર્યો હતો






Latest News