ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

એડવોકેટનો SP સમક્ષ ઘા: વાંકાનેરના સરતાનપરમાં રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે થતું દારૂનુ વેચાણ બંધ કરવો !


SHARE













એડવોકેટનો SP સમક્ષ ઘા: વાંકાનેરના સરતાનપરમાં રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે થતું દારૂનુ વેચાણ બંધ કરવો !

મોરબી જીલ્લામાં દારૂ વેચાઈ છે તેવા આક્ષેપ ઘણા કરવામાં આવે છે તેવામાં વાંકાનેરના એડ્વોકેટ દ્વારા એસપીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રાજકીય આગેવાન દ્વારા ખુલ્લે આમ દારૂનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ખનીજ ચોરી તેમજ સરકારી જમીનમાં ગેરકાયદેસર કબજો કરેલ છે જેથી કરીને તાત્કાલીક પગલા લેવામાં આવે તેવી માંગ કરેલ છે

વાંકાનેરના જીનપરા જકાત નાકા પાસે ક્રિષ્ના ચેમ્બર્સમાં દુકાન ધરાવતા એડ્વોકેટ મહેશભાઈ દેવજીભાઈ ગણેશીયાએ એસપીને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, સરતાનપરા ગામનાં સરપંચ તથા ગ્રામજનો દ્વારા તેને હકીકત આપવામાં આવી છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે છેલ્લા ઘણા સમયથી સરતાનપર ગામના રાજકીય આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્ય દેવુબેન હનુભાઈના પુત્ર દેવાભાઈ હનુભાઈ તથા ચંદુભાઈ હનુભાઈ જે સરતાનપર ગામે ૨હે છે તે સરતાનપર ગામે સરકારી જમીનમાં સેન્સો ચોકડી પાસે પાવર હાઉસ સામે સરકારી જમીનમાં ૨૦ થી ૨૫ ગેરકાયદેસર રૂમો બનાવેલ છે અને ગામની પ્રાથમીક શાળાની બાજુમાં ગેરકાયદેસ ઓફીસનુ બાંઘકામ કરેલ છે અને દેવાભાઈ હનુભાઈ વીંઝવાડીયા દ્વારા પોતાના માણસો રાખીને ત્યાં દારૂનું વેચાણ કરવામાં આવે છે

તેમજ સાઈન્ટીફીકા કારખાનાની સામે ગેરકાયદેસર દુકાન બનાવી ત્યાં ચંદુભાઈ હનુભાઈ તથા હનુભાઈ ભીમાભાઈ દેશી તથા અંગ્રેજી દારૂનું વેચાણ કરી રહ્યા છે તેમજ સરતાનપર ગામે સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરાવી અને પાણી માલ ઢોરને પીવા માટેનુ હોય તેનું ગે૨કાયદેસર વેચાણ કરે છે જેથી કરીને આ માથાભારે શખ્સોની સામે સરતાનપર ગામના ગ્રામજનોએ .૧૬-૩ ના રોજ પીઆઇને તથા તા. ૧૭-૩ ના રોજ મામલતદારને લેખીત ૨જુઆત કરવામાં આવી છે જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને તાજેતરમાં ગુજરાતમાં લઠા કાંડ જેવી ઘટના બનેલ છે ત્યારે દારૂનું વેચાણ બંધ કરાવવામાં આવે અને સરકારી જમીનો ઉપર ગેરકાયદે બનાવવામાં આવેલ ઓરડીઓ સહિતના દબાણોને તોડી પાડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News