ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લંપીથી મૃત્યુ પામેલા પશુધન સામે પશુપાલકોને સહાય આપો: મુખ્યમંત્રીને રજુઆત


SHARE













મોરબી જિલ્લામાં લંપીથી મૃત્યુ પામેલા પશુધન સામે પશુપાલકોને સહાય આપો: મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જિલ્લામાં લંપીના લીધે ઘણા પશુના અત્યાર સુધીમાં મોત થયા છે જો કે, દૂધાળા પશુઓના મોત થવાથી ઘણા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લામાં લંપીના લીધે જે પશુધનનાં મોત થયા છે તેની સામે પશુપાલકોને પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવાની માગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે અને કલેકટર મારફતે મુખ્યમંત્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે

મોરબી જિલ્લા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું છે જેમાં તેને જણાવ્યું છે કે, લંપી વાઈરસથી મોરબી જિલ્લામાં ઘણા પશુના મોત થયા છે જે પૈકીનાં ઘણા પશુઓની નોંધ પણ કરવામાં આવી નથી અને દૂધાળા પશુમાં મોત ઠાવથી પશુપાલકોને આજીવિકાનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે મૃત પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરેલ છે અને તમામ પશુપાલકોને વહેલી તકે આ સહાય આપવામાં તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ કહ્યું છે કે, કોરોના કાળમાં જાહેર જનતાના હિતાર્થે માલધારીઓ તેમના ઉત્પાદિત દૂધના ભાવ વધારેલ ન હતા. અને પોતાની પરવા કર્યા વિના ઘેર ઘેર જઈ દૂધ પહોંચતુ કરેલ હતું જેથી હાલમાં આ માલધારીઓ અને પશુ પાલકો ઉપર મુશ્કેલી આવી છે ત્યારે સરકાર તેની સાથે ઊભી રહે તે અનિવાર્ય છે 






Latest News