ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાત્રાળનગરમાં રિક્ષાભાડાની ઉઘરાણી કરવા રિક્ષા પાર્ક કરનાર યુવાનને બે ભાઈઓએ માર માર્યો 


SHARE













વાંકાનેરના ગાત્રાળનગરમાં રિક્ષાભાડાની ઉઘરાણી કરવા રિક્ષા પાર્ક કરનાર યુવાનને બે ભાઈઓએ માર માર્યો 

વાંકાનેર તાલુકાના ગાત્રાળનગર (સિંધાવદર) ખાતે યુવાન પોતાની રીક્ષાને ઉભી રાખીને ભાડાની ઉઘરાણી કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં રહેતા બે શખ્સો દ્વારા અહિં રીક્ષા પાર્ક ન કરવી તેમ કહીને યુવાનની સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ લાકડી અને ઢીકાપાટુ વડે તેને માર મારવામાં આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ગાત્રાળનગર (સિંધાવદર) ખાતે રહેતા ગોપાલભાઈ મેશનભાઈ ચારોલિયા (ઉંમર ૩૧) પોતાની રીક્ષા લઈને ગામમાંથી પસાર થતા હતા ત્યારે રીક્ષા ભાડાની ઉઘરાણી કરવા માટે તેણે પોતાની રિક્ષા ઉભી રાખી હતી ત્યારે શાંતિલાલ ગગજીભાઈ ચારોલીયાએ "રીક્ષા અહીંયા પાર્ક નહીં કરવાની" તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને લાકડી વડે અને તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.ત્યારબાદ તેના ભાઈ રાજેશભાઈ ગગજીભાઈ ચારોલીયા ત્યાં આવ્યા હતા અને બંને ભાઈઓએ ગોપાલભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ઈજા પામેલા ગોપાલભાઈ ચારોલીયાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શાંતિલાલ અને રાજેશભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રહેતા કંચનબેન દિનેશભાઈ ભાડેજા નામના ૪૮ વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનવામાં ઇજાઓ થતા તેમને શહેરના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ શીવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં પોલીસે તપાસ કરતા ખુલ્યુ હતુ કે કંચનબેન ભાડજા પોતાના પુત્રની સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મહાદેવના મંદિર પાસે તેઓનું બાઈક બમ્પ આવતા સ્લીપ થઈ ગયું હતું અને તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે હોસ્પીટલે લઇ જવાયા હતા.






Latest News