મોરબીમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાઈ કરનારા રાજસ્થાની બુટલેગરની ધરપકડ: સાત દિ’ના રિમાન્ડ મંજૂર
મોરબીના બંધુનગર પાસે બાઈક સ્લીપ થવાથી આધેડનું મોત
SHARE
મોરબીના બંધુનગર પાસે બાઈક સ્લીપ થવાથી આધેડનું મોત
મોરબીના બંધુનગર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામની પાસે રહેતા અને મૂળ બિહારના વતની અમિતેશ્વર સુરેન્દ્રકુમાર વર્મા (ઉમર ૫૩) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી જતા હતા.ત્યારે કોઈ કારણોસર તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અમિતેશ્વરભાઈ વર્માને ઇજાઓ થઇ હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન અમિતેશ્વરભાઈ વર્માનું મોત નીપજ્યું હતું.જેથી કરીને આ બનાવમાં વિશાલરાજ મનોજકુમાર સિન્હા જાતે કાયસ્થ (ઉમર ૩૯) ની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મહિલા સારવારમાં
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા બાઇસાબગઢ ગામે રહેતા રંજનબેન ગણપતભાઈ દલસાણીયા નામના ૪૫ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને પાછળના ભાગેથી હડફેટે લેતા ઇજાઓ થવાથી તેઓને મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.