ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE













મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતો યુવાન રાત્રી દરમિયાન પોતાના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તેનો ભાઈ સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી બધું સારવાર માટે રાજકોટ લઈને ગયેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર દવા પીધી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારની અંદર રહેતા યાસીનભાઈ રહીમભાઈ શેખ (ઉંમર ૪૨) રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા અને ત્યારબાદ તેને પોતાના નાના ભાઈ ફકરુદીનને ફોન કરીને જાણ કરતા તેનો નાનો ભાઈ ફકરુદ્દીન તેના ઘરે આવ્યો હતો અને ત્યારે યાસીનભાઈએ ફકરુદ્દીનને કહ્યું હતું કે તે ઝેરી દવા પી ગયેલ છે જેથી ફકરુદ્દીનભાઈ તેના ભાઈને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યાસીનભાઈ શેખ રિક્ષા ચલાવે છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને તેના પત્ની કારણોસર રિસામણે છે તેવું યુવાનના ભાઈ પાસેથી જાણવા મળ્યું છે જો કે, યુવાને શા માટે ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં પોલીસે હાલમાં તપાસ ચાલુ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં થયેલા વાહન અકસ્માતના બનાવમાં પ્રદીપભાઈ ગણપતભાઈ નીનામા (ઉંમર ૨૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલમાં અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News