મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતો યુવાન રાત્રી દરમિયાન પોતાના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તેનો ભાઈ સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી બધું સારવાર માટે રાજકોટ લઈને ગયેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર દવા પીધી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારની અંદર રહેતા યાસીનભાઈ રહીમભાઈ શેખ (ઉંમર ૪૨) રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા અને ત્યારબાદ તેને પોતાના નાના ભાઈ ફકરુદીનને ફોન કરીને જાણ કરતા તેનો નાનો ભાઈ ફકરુદ્દીન તેના ઘરે આવ્યો હતો અને ત્યારે યાસીનભાઈએ ફકરુદ્દીનને કહ્યું હતું કે તે ઝેરી દવા પી ગયેલ છે જેથી ફકરુદ્દીનભાઈ તેના ભાઈને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યાસીનભાઈ શેખ રિક્ષા ચલાવે છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને તેના પત્ની કારણોસર રિસામણે છે તેવું યુવાનના ભાઈ પાસેથી જાણવા મળ્યું છે જો કે, યુવાને શા માટે ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં પોલીસે હાલમાં તપાસ ચાલુ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં થયેલા વાહન અકસ્માતના બનાવમાં પ્રદીપભાઈ ગણપતભાઈ નીનામા (ઉંમર ૨૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલમાં અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News