મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં યુવાન ઝેરી દવા પી જતાં રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારમાં રહેતો યુવાન રાત્રી દરમિયાન પોતાના ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તેનો ભાઈ સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી બધું સારવાર માટે રાજકોટ લઈને ગયેલ છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર દવા પીધી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે

જાણવા મળતી પ્રમાણે મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ વિસ્તારની અંદર રહેતા યાસીનભાઈ રહીમભાઈ શેખ (ઉંમર ૪૨) રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી ગયા હતા અને ત્યારબાદ તેને પોતાના નાના ભાઈ ફકરુદીનને ફોન કરીને જાણ કરતા તેનો નાનો ભાઈ ફકરુદ્દીન તેના ઘરે આવ્યો હતો અને ત્યારે યાસીનભાઈએ ફકરુદ્દીનને કહ્યું હતું કે તે ઝેરી દવા પી ગયેલ છે જેથી ફકરુદ્દીનભાઈ તેના ભાઈને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે યાસીનભાઈ શેખ રિક્ષા ચલાવે છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે અને તેના પત્ની કારણોસર રિસામણે છે તેવું યુવાનના ભાઈ પાસેથી જાણવા મળ્યું છે જો કે, યુવાને શા માટે ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં પોલીસે હાલમાં તપાસ ચાલુ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં થયેલા વાહન અકસ્માતના બનાવમાં પ્રદીપભાઈ ગણપતભાઈ નીનામા (ઉંમર ૨૦) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલમાં અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News