મોરબીમાં સિરામિક વેકેશન દરમ્યાન ચોરી, લૂંટ વિગેરે ન બને તે માટે ઉદ્યોગકારોને એલર્ટ કરતાં એસપી
મોરબીના ઘૂટું ગામે નવોદય વિધાલયમાં કરાયું વૃક્ષારોપણ
SHARE
મોરબીના ઘૂટું ગામે નવોદય વિધાલયમાં કરાયું વૃક્ષારોપણ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ- પ્રાદેશિક કચેરી મોરબી અને શ્રી નવોદય વિધાલય- ઘુંટુના સંયુક્ત ઉપક્રમે નવોદય વિધાલયના પટાંગણમાં વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં વડ, પીપળ, લિમડો, કરંજ, આસોપાલવ અને બોરસલી જેવા આશરે ૨૦૦ જેટલા વૃક્ષો શાળાના વિધાર્થી દ્રારા સામાજીક વનિકરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં જીપીસીબી મોરબી ના અધિકારીઓ હાજર રહેલા હતા. તેમજ શાળાના સંચાલક ગણ બીપીનભાઇ કાંજીયા, કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, હર્ષિતભાઇ અઘારા, કાંતિલાલ ચાવડા તથા શિક્ષક ગણ તથા હરેશભાઇ બોપલિયાએ ભારે જહેમત ઉઠાવેલી હતી