મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ


SHARE







મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ

મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સદગુરુ આશ્રમમાં રહીને અભ્યાસ કરતો બાળક છેલ્લા નવ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી પ્રમાણે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડી પાસે આવેલ અયોધ્યા ચોક પાસે યોગરાજનગર-૨ માં રહેતા દેવેન્દ્રભાઈ મહેશભાઈ આચાર્ય જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા પાર્થ (ઉંમર ૧૪) નું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૩૧/૭ ના રોજ વહેલી સવારના ૫:૩૦ વાગ્યાથી તે મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન સદગુરુ આશ્રમ ખાતે ભણવા માટે મૂકવામાં આવ્યો હતો ત્યાંથી ગુમ થઈ ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને કોઈ અજાણ્યો માણસ દ્વારા કોઈ કારણોસર તેનું અપહરણ કરવામાં આવ્યું હોવા અંગેની હાલમાં દેવેન્દ્રભાઈ આચાર્યએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા પાર્થને શોધવા માટે થઈને અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News