મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા


SHARE









મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને દિલ્હીમાં લોકોને જેવી ઘરે બેઠા સરકારી સેવાઓ મળી રહી છે તેની સાચી વાત પહોચડવા માટે મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પાર્ટીના પ્રચાર માટે ડાયરાના આયોજન કરવામાં આવેલ છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ૧૫ જેટલા ડાયરા આગામી દિવસોમાં કરશે જેમાં લોકોને ડાયરા મધ્યમથી લોકોને ગુજરાત સરકારની નિષ્ફળતા આ ને દિલ્હી સરકાર દ્વારા લોકો માટે જે કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપવામાં આવશે અને જનસંવાદ કાર્યક્રમ યોજાશે અને તા. ૯ થી ડાયરા શરૂ કરવામાં આવેલ છે જે બેલા, રંગપર, નાની બરાર સહિતના ગામમાં યોજાશે તેમજ તા ૧૦ ના રોજ કેરાળા અને ચાચાવદરડા, તા ૧૧ ના રોજ ધરમપુર અને મોટાભેલા, તા ૧૨ જેતપર અને દેરાળા, તા ૧૩ ના રોજ નાગડાવાસ અને ઘાટીલ, તા ૧૪ ના રોજ ચકમપર અને ખીરઈ, તા ૧૫ ના રોજ સોખડા અને મોટા દહીંસરા તેમજ તા ૧૭ ના રોજ કાજેડા ગામે ડાયરો અને જનસંવાદ યોજાશે






Latest News