મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા


SHARE





મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને દિલ્હીમાં લોકોને જેવી ઘરે બેઠા સરકારી સેવાઓ મળી રહી છે તેની સાચી વાત પહોચડવા માટે મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પાર્ટીના પ્રચાર માટે ડાયરાના આયોજન કરવામાં આવેલ છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ૧૫ જેટલા ડાયરા આગામી દિવસોમાં કરશે જેમાં લોકોને ડાયરા મધ્યમથી લોકોને ગુજરાત સરકારની નિષ્ફળતા આ ને દિલ્હી સરકાર દ્વારા લોકો માટે જે કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપવામાં આવશે અને જનસંવાદ કાર્યક્રમ યોજાશે અને તા. ૯ થી ડાયરા શરૂ કરવામાં આવેલ છે જે બેલા, રંગપર, નાની બરાર સહિતના ગામમાં યોજાશે તેમજ તા ૧૦ ના રોજ કેરાળા અને ચાચાવદરડા, તા ૧૧ ના રોજ ધરમપુર અને મોટાભેલા, તા ૧૨ જેતપર અને દેરાળા, તા ૧૩ ના રોજ નાગડાવાસ અને ઘાટીલ, તા ૧૪ ના રોજ ચકમપર અને ખીરઈ, તા ૧૫ ના રોજ સોખડા અને મોટા દહીંસરા તેમજ તા ૧૭ ના રોજ કાજેડા ગામે ડાયરો અને જનસંવાદ યોજાશે




Latest News