ભુચરમોરીના મેદાનમાં યોજાનાર ઐતિહાસિક તલવાર રાસમાં મોરબી જિલ્લાના ૫૦૦ થી વધુ યુવાનો જોડાશે
વાંકાનેર નજીક ઢુવા રેલ્વે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં યુવાને કર્યો આપઘાત
SHARE
વાંકાનેર નજીક ઢુવા રેલ્વે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં યુવાને કર્યો આપઘાત
વાંકાનેર તાલુકામાં ઢુવા રેલ્વે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતો યુવાન કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા રેલવે સ્ટેશન પાસે ભાડાના મકાનમાં રહેતા નરેશ વિભાભાઈ ઉઘરેજીયા (ઉમર ૩૨) એ કોઈ કારણોસર પોતાના મકાનની અંદર ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે, યુવાને ક્યાં કારણોસર આપઘાત કરી લીધો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
યુવાનનું મોત
મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા કાંતિભાઈ મૂળજીભાઈ પરમાર (ઉંમર ૪૦) નું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે









