મોરબી જીલ્લામાં ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરાઇ
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું
SHARE
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું
દેશનું સ્વતંત્રતા પર્વને હવે ગણતરીના દીવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા સુત્ર આપવામાં આવ્યું છે જેના અનુસંધાને પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ વિધાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના પ્રજ્વલિત થાય અને રાષ્ટ્રભક્તિ ના માર્ગે ચાલી વિધાર્થીઓ એક આદર્શ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં દરેક વિધાર્થીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. વિધાર્થીઓ પોતપોતાના નિવાસ્થાને, કામ કાજના સ્થળે ભારતભૂમિની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાવે તેવી અપીલ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.