મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ
મોરબી જીલ્લામાં તલાટીઓની હડતાલનો અંત લાવવા સરપંચ એસો.ની માંગ
SHARE
મોરબી જીલ્લામાં તલાટીઓની હડતાલનો અંત લાવવા સરપંચ એસો.ની માંગ
છેલ્લા ઘણા દિવસોથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. જેથી કરીને હાલમાં ગામે ગામે લોકોના કામો ખોરવાઈ ગયા છે જેથી કરીને આજે મોરબી માળીયા તાલુકા સરપંચ એસો. દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને આ હડતાળનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી તાલુકા સરપંચ એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, ગ્રામ પંચાયતમાં નાણાકીય ખાધ આગામી માહિનામાં ગંભીર ઊભી થાય તેમ છે જેથી કરીને ગ્રામ પંચાયતોનો વહીવટ કથળે નહિ તે માટે હાલમાં તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે તેનો અંત લાવવામાં આવે તે જરૂરી છે વધુમાં એવી પણ રજૂઆત કરી છે કે, તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાના સંવર્ગના વ્યાજબી પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ કરવામાં આવેલ પરંતુ તેનું નિરાકરણ સરકાર લાવી ન હતી જેથી હાલમાં ફરી હડતાળ કરવામાં આવી છે ત્યારે તેઓના વ્યાજબી પ્રશ્નો નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે નહીં તો ગામડામાં આગામી દિવસોમાં પ્રશ્નો વધશે તે નિશ્ચિત છે