મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ
SHARE
મોરબી પાલિકા દ્વારા લોકમેળો યોજવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાનની માંગ
મોરબી નગરપાલિકા દ્વારા દર વર્ષે લોકોમેળાનું આયોજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવશે નહીં તેનું જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોની માટે પાલિકા દ્વારા લોકમેળો કરવામાં આવે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કલેકટર રજૂઆત કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, પાલિકા દ્વારા દર વર્ષે લોકમેળો કરવામાં આવે છે જો કે, ચાલુ વર્ષે મેળો પાલિકા દ્વારા બંધ રખાયો છે. જેથી કરીને આમ લોકોની સલામતી માટે પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તે અનિવાર્ય છે જો પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો તેમાં લોકોને ઓછા ભાવે ફાજત સહિતની રાઈડનો પણ લાભ મળે છે જેથી કરીને લોકોને લૂંટતા બચાવવા માટે નગરપાલિકા દ્વારા લોકમેળોનું આયોજન કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે
રક્ષાબંધનની ભેટ
મોરબી પાલિકા દ્વારા રક્ષાબંધન નિમિતે મહિલાઓને ભેટ આપવામાં આવી છે અને આ દિવસે મહિલાઓને ફ્રી મુસાફરીની પાલિકા દ્વારા ભેટ આપવામાં આવી છે જે મુદે પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના દિવસે મહિલાઓ સિટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે