મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં તલાટીઓની હડતાલનો અંત લાવવા સરપંચ એસો.ની માંગ


SHARE







મોરબી જીલ્લામાં તલાટીઓની હડતાલનો અંત લાવવા સરપંચ એસો.ની માંગ

છેલ્લા ઘણા દિવસોથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. જેથી કરીને હાલમાં ગામે ગામે લોકોના કામો ખોરવાઈ ગયા છે જેથી કરીને આજે  મોરબી માળીયા તાલુકા સરપંચ એસો. દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને આ હડતાળનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા સરપંચ એસો. દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને સીએમને રજૂઆત કરવામાં આવી છે કે, ગ્રામ પંચાયતમાં નાણાકીય ખાધ આગામી માહિનામાં ગંભીર ઊભી થાય તેમ છે જેથી કરીને ગ્રામ પંચાયતોનો વહીવટ કથળે નહિ તે માટે હાલમાં તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે તેનો અંત લાવવામાં આવે તે જરૂરી છે વધુમાં એવી પણ રજૂઆત કરી છે કે, તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાના સંવર્ગના વ્યાજબી પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ કરવામાં આવેલ પરંતુ તેનું નિરાકરણ  સરકાર લાવી ન હતી જેથી હાલમાં ફરી હડતાળ કરવામાં આવી છે ત્યારે તેઓના વ્યાજબી પ્રશ્નો નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે નહીં તો ગામડામાં આગામી દિવસોમાં પ્રશ્નો વધશે તે નિશ્ચિત છે






Latest News