મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં એકટીવા ચલાવવાની બાબતે થયેલ મારા મારીના પિતા-પુત્રની ધરપકડ
મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર
SHARE
મોરબીના ઈટાકોન સિરામિકના હતભાગીઓને નવજીવન આપતા ડોકટર
મોરબીના દોઢ માસ પહેલા ઈટાકોન સિરામિકમાં ટેક્નિકલ ક્ષતિના કારણે ગેસ લીકેજના કારણે ભયાનક આગ લાગી હતી જેમાં જીતેન્દ્ર વામજા, જયેશ વરમોરા,રવિ આદ્રોજા વગેરે ખુબજ ગંભીર રીતે દાજી ગયા હતા અને જીવન મરણ જોલા ખાઈ રહ્યા હતા, ખુબજ ગંભીર હતા,ખુબજ સિરિયસ હતા ત્યારે જયેશ વરમોરાને તો પંદર દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલ હતા, આમ ત્રણેયની બચવાની શકયતા નહિવત હતી પણ રાજકોટની ખાનગી હોસ્પિટલના ડો. મયુર વાઘેલા (સર્જન), ડો. કૃતાર્થ કાંજીયા (ઇન્ફેકશન સ્પેશિયલિસ્ટ), ડો. સંકલ્પ વણજારા તથા ડો. જેનીલ સિનોજીયા (ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ) આઇસિયું નર્સિંગ સ્ટાફ તથા મેડિકલ સ્ટાફની મહેનત અને પ્રભુની કૃપાથી ત્રણેય હતભાગીઓ સાજા થઈ રહ્યા છે ત્યારે ઈટાકોન સિરામિકના તમામ ભાગીદારોએ મેડિકલ સ્ટાફનો આભાર વ્યકત કરેલ છે









