મોરબી સિરામિક એસો. દ્વારા ૧૦ હજાર તિરંગાનું વિતરણ કરાયું
SHARE
મોરબી સિરામિક એસો. દ્વારા ૧૦ હજાર તિરંગાનું વિતરણ કરાયું
દેશના સ્વાતંત્રય પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનુ આહવાન આપવામાં આવ્યું છે જેના અનુસંધાને મોરબી સીરામીક મેન્યુ. એસો. દ્વારા લોકોમા રાષ્ટ્ર ભાવના પ્રજ્વલિત થાય અને રાષ્ટ્રભક્તિના માર્ગે ચાલી એક આદર્શ રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરાય તેવા ઉમદા આશયથી મોરબી સીરામીક મેન્યુ. એસો. દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧૦૦૦૦ તિરંગાનુ વિતરણ કરવામાં અવાયું છે ત્યારે મોરબી સિરામિમ્ક એસો,ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, હરેશભાઈ બોપલિયા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા, અનિલભાઈ વડાવિયા સહિતના ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને તેઓએ પોતાના નિવાસ્થાને, કારખાને સહિતની જગ્યાએ આન, બાન અને શાન સમાન તિરંગો લહેરાવિને લોકોને પણ તિરંગો લહેરાવવા માટે અપીલ કરી છે









