ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં


SHARE













રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ વીર વિદરકા ગામના પાટીયા પાસે રાત્રિ દરમિયાન પસાર થતા બાઇકને અજાણ્યા વાહને લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ દંપતી અને બાળક સહિતના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમાંથી દંપતીનું મોત નીપજ્યું છે અને બાળક સહિતના બે વ્યક્તિઓ સારવાર હેઠળ છે જેથી કરીને માળીયા તાલુકા પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

ગઈકાલે રક્ષાબંધનનો દિવસ હોય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે આવી જ રીતે મૂળ એમપીના રંગપુરા ગામના રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાનાં વધારવા ગામે મૂળરાજસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વેલસિંગભાઇ મંગલસિંગભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉમર ૩૩) અને તેના પત્ની રજીબેન વેલસિંગભાઈ રાઠવા (ઉમર ૩૦) તેમના દીકરા મનીષ વેલસિંગ (ઉમર ૫) અને કૌટુંબિક સાળા માનસિંગભાઈ સાથે એક જ બાઈક ઉપર વાધરવા ગામથી બહાર ગયા હતા અને ત્યાંથી પરત આવતા સમયે રાત્રિના આગિયારેક વાગ્યાના અરસામાં વીરવિદરકા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને તેઓના બાઈકને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દંપતી અને તેનો દીકરો સહિતના ચારેયને ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ વેલસીંગભાઇ રાઠવા તથા તેમના પત્ની રજીબેન રાઠવાનું મોત નીપજયું હતું. જોકે માનસિંગભાઈ અને વેલસીંગભાઇના દીકરા મનીષને ઇજાઓ થયેલ હોવાથી પ્રથમ તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા માળીયા પોલીસ મથકના સંજયભાઇ બાલાસરા અને રાયટર કિશોરભાઈ છૈયા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રક્ષાબંધન હોવાથી રજીબેન રાખડી બાંધવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતનો બનાવ બનતા દંપતિનું મોત નીપજયું છે અને બાળક સહિત બે વ્યક્તિઓ હાલમાં રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.જેથી કરીને માળીયા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે આગળની તજવીજ શરૂ કરેલ છે.






Latest News