મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના આમરણમાં પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

રબી તાલુકાના આમરણ ગામે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને યુવાનને બે શખ્સો દ્વારા ઢીકા પાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના આમરણ ગામે ડાયમંડનગરમાં રહેતા મહેશભાઈ મનસુખભાઈ બોડા જાતે પટેલ (ઉંમર ૪૫) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાસમભાઈ નજુભાઈ તૈલી અને ભોલો નજુભાઈ તૈલી રહે.બંને આમરણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના શાળા ૧૦ વાગ્યાના અરસામાં તે આમરણ પાસે હતા ત્યારે પાણીના ધંધાની હરીફાઈનો ખાર રાખીને જેમ ભાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા મહેશભાઈ દ્વારા કાસમભાઇ અને ભોલો બંનેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીની મોચી શેરી વિસ્તારમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર પાસે રહેતા ભોળાભાઈ મલાભાઇ દેત્રોજા નામના ૫૫ વર્ષીય આધેડને તેમના ઘેર તેમના પત્ની અને પુત્રો દ્વારા માર મારવામાં આવતા તેમને પણ સારવારમાં લઇ જવાયા હતા.

વાહન અકસ્માતમાં બેને ઇજા

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા કાનજીભાઈ કાળાભાઈ ઘુમલીયા (૬૪) અને જતીન બેચરભાઈ જેતપરિયા (૩૭) બંને બાઈકમાં ડબલ સવારીમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીક રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બંને ઇજાગ્રસ્તોને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના માથક ગામે રહેતા ઉષાબેન મુકેશભાઈ ચૌહાણ નામની ૩૪ વર્ષની મહિલા હળવદ પાસે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે બાઈકની ઓચિંતાની બ્રેક મારવામાં આવતા તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News