મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!


SHARE







મોરબીમાં પુત્ર અને પુત્રવધુએ માર મારતા વૃદ્ધ સારવારમાં..!

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતા વૃદ્ધને તેના પુત્ર અને પુત્રવધુ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા.બાદમાં તેઓએ પોતાના પુત્ર અને પુત્રવધુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કળિયુગની પરાકાષ્ઠા દર્શાવતા ઉપરના બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ રોડ ઉપર રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૩ વર્ષના વૃદ્ધને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ નંદલાલભાઈએ પોતાના જ પુત્ર સુનિલ નંદલાલ ચૌહાણ અને તેની પત્ની દક્ષાબેન સુનિલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, નજીવી વાતે ઝઘડો કરીને બંને દ્વારા તેમને ધક્કો મારીને પાડી દીધા બાદ ઢીકાપાટુ વડે મારામારી કરવામાં આવી હતી.હાલ તેઓએ નોંધાવીને ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રીક્ષામાંથી પડી જતા ઈજા

માળીયા મીંયાણાના કાજરડા ગામે રહેતા સહેરાબેન નુરમામદભાઈ માણેક નામના ૭૧ વર્ષીય વૃદ્ધા રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે માળિયા ગામના ઝાંપા પાસે તેઓ રિક્ષામાંથી નીચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો ભુનેશભાઈ સાગઠીયા નામનો ૧૫ વર્ષીય સગીર હળવદ ચોકડી પાસે હતો ત્યાં બે અજાણ્યા લોકો દ્વારા તેને માર મારવામાં આવતા સારવારમાં ખસેડાયો હતો.

દવા પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર રહેતા મીનાબેન લાખાભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષના મહિલાએ કોઇકારણોસર ઝેરી દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે






Latest News