વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત
મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો
SHARE
મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો
મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આજે મોરબીમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડા અને મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હોદેદારો, પદાધિકારીઓ તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાજર રહ્યા અત્રે ઉલેખનીય છે કે, પાલિકા દ્વારા મોરબીમાં કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોક ખાતે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટેનું આયોજન કરવામાં અવાયું હતું અને આજે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેનું લોકાર્પણ કર્યું હતું તેની સાથોસાથ ૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. અને પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ૧૦૮ ફૂટની ઊંચાઈએ મોરબીમાં હવે કાયમી તિરંગો લહેરાશે.