મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો


SHARE















મોરબીના ઉમિયા સર્કલે પાલિકા દ્વારા મંત્રીના હસ્તે ૧૦૮ ફૂટ ઊંચો તિરંગા લહેરાવવામાં આવ્યો

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આજે મોરબીમાં ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડા અને મોહનભાઇ કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના હોદેદારો, પદાધિકારીઓ તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાજર રહ્યા અત્રે ઉલેખનીય છે કે, પાલિકા દ્વારા મોરબીમાં કાયમી ધોરણે તિરંગો ખુલ્લા આકાશમાં લહેરાઈ તે માટે શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા ચોક ખાતે ૧૦૮ ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવવા માટેનું આયોજન કરવામાં અવાયું હતું અને આજે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ તેનું લોકાર્પણ કર્યું હતું તેની સાથોસાથ ૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. અને પાલિકાના ઉપપ્રમુખ જરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ૧૦૮ ફૂટની ઊંચાઈએ મોરબીમાં હવે કાયમી તિરંગો લહેરાશે.






Latest News