મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી


SHARE















વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે ખેડૂતોના ખેતરોએ મૂકવામાં આવેલ વીજ મોટરો ચાલુ કરવા માટે થઈને પાથરવામાં આવેલા વીજ વાયરોની ચોરી કરવામાં આવતી હોય છે આવી જ ઘટના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં બની છે અને મેસરિયા ગામના છ જેટલા ખેડૂતોના ખેતરોમાં વીજ મોટર ચાલુ કરવા માટે પાથરવામાં આવેલ વીજ વાયરોની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે જોકે હજુ આ મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભોલાભાઈ હીરાભાઈ પરમાર, માવજીભાઈ દાનાભાઈ ચાવડા, યાકુબભાઈ સાજીદભાઈ સેરસીયા, અનસભાઈ નુરમામદભાઈ સેરસીયા, મામદભાઈ અમીનભાઇ વડાવીયા અને રામભાઈ માનસૂરભાઈ બાબરીયાના ગામની સીમમાં ખેતરો આવેલા છે અને પોતાના ખેતર સુધી વીજ પુરવઠો લઈ જવા માટે અને ત્યાં મૂકવામાં આવેલ વીજ મોટરોને ચાલુ કરવા માટે થઈને વીજ લાઈન પાથરવામાં આવી હતી આ વીજ વાયરની ગત ગુરુવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે અને અંદાજે 25 થી 30 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી કરવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની ભોગ બનેલા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી પહોંચી હતી તેમ છતાં હજુ સુધી ચોરીના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે






Latest News