વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી


SHARE













વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે ખેડૂતોના ખેતરોએ મૂકવામાં આવેલ વીજ મોટરો ચાલુ કરવા માટે થઈને પાથરવામાં આવેલા વીજ વાયરોની ચોરી કરવામાં આવતી હોય છે આવી જ ઘટના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં બની છે અને મેસરિયા ગામના છ જેટલા ખેડૂતોના ખેતરોમાં વીજ મોટર ચાલુ કરવા માટે પાથરવામાં આવેલ વીજ વાયરોની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે જોકે હજુ આ મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભોલાભાઈ હીરાભાઈ પરમાર, માવજીભાઈ દાનાભાઈ ચાવડા, યાકુબભાઈ સાજીદભાઈ સેરસીયા, અનસભાઈ નુરમામદભાઈ સેરસીયા, મામદભાઈ અમીનભાઇ વડાવીયા અને રામભાઈ માનસૂરભાઈ બાબરીયાના ગામની સીમમાં ખેતરો આવેલા છે અને પોતાના ખેતર સુધી વીજ પુરવઠો લઈ જવા માટે અને ત્યાં મૂકવામાં આવેલ વીજ મોટરોને ચાલુ કરવા માટે થઈને વીજ લાઈન પાથરવામાં આવી હતી આ વીજ વાયરની ગત ગુરુવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે અને અંદાજે 25 થી 30 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી કરવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની ભોગ બનેલા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી પહોંચી હતી તેમ છતાં હજુ સુધી ચોરીના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે






Latest News