મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી


SHARE







વાંકાનેર ના મેસરીયા ગામની સીમમાં થી ૬ ખેડૂતોના ખેતરે વાયરની ચોરી

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે ખેડૂતોના ખેતરોએ મૂકવામાં આવેલ વીજ મોટરો ચાલુ કરવા માટે થઈને પાથરવામાં આવેલા વીજ વાયરોની ચોરી કરવામાં આવતી હોય છે આવી જ ઘટના વાંકાનેર તાલુકાના મેસરિયા ગામમાં બની છે અને મેસરિયા ગામના છ જેટલા ખેડૂતોના ખેતરોમાં વીજ મોટર ચાલુ કરવા માટે પાથરવામાં આવેલ વીજ વાયરોની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવી છે જોકે હજુ આ મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભોલાભાઈ હીરાભાઈ પરમાર, માવજીભાઈ દાનાભાઈ ચાવડા, યાકુબભાઈ સાજીદભાઈ સેરસીયા, અનસભાઈ નુરમામદભાઈ સેરસીયા, મામદભાઈ અમીનભાઇ વડાવીયા અને રામભાઈ માનસૂરભાઈ બાબરીયાના ગામની સીમમાં ખેતરો આવેલા છે અને પોતાના ખેતર સુધી વીજ પુરવઠો લઈ જવા માટે અને ત્યાં મૂકવામાં આવેલ વીજ મોટરોને ચાલુ કરવા માટે થઈને વીજ લાઈન પાથરવામાં આવી હતી આ વીજ વાયરની ગત ગુરુવારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે અને અંદાજે 25 થી 30 હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી કરવામાં આવી હોવાનું હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ બનાવની ભોગ બનેલા ખેડૂતો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ત્યાં આવી પહોંચી હતી તેમ છતાં હજુ સુધી ચોરીના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે






Latest News