ભારતના ભાગલાની વેદના દર્શાવતી ફોટો પ્રદર્શની મોરબીમાં મંત્રીએ ખુલ્લી મૂકી
મોરબીમાં મહારાણી નંદકુંવરબા-રૈન બસેરાનું મંત્રીએ કર્યું લોકાપર્ણ
SHARE
મોરબીમાં મહારાણી નંદકુંવરબા-રૈન બસેરાનું મંત્રીએ કર્યું લોકાપર્ણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા અભિયાન અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત ૧૦૮ ફુટ ઊંચા સ્તંભ પર તિરંગો લહેરાવવાના કાર્યક્રમ બાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સી.સી. રોડના કામો, સ્ટ્રીટ લાઇટના કામો તથા ૩૮ ડોર ટુ ડોર વાહનો થકી મોરબીની સુવિધામાં વધારો થાય તે માટે લોકર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું ત્યારે બાદ મંત્રી બ્રિજેશભાઇ ઉપરાંત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતનાઓની હાજરીમાં ઘર વિહોણા માટે આશ્રયસ્થાન મહારાણી નંદકુંવરબા રૈન બસેરાનું લોકાર્પણ કર્યું હતું ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, મોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.