મોરબીમાં મહારાણી નંદકુંવરબા-રૈન બસેરાનું મંત્રીએ કર્યું લોકાપર્ણ
મોરબીમાં કાલે નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે
SHARE
મોરબીમાં કાલે નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ અને રાષ્ટ્રસેવાને સમર્પિત ઇન્ડિયન લોયોનેશ ક્લબના સયુંકત ઉપક્રમે આઝાદીના ૭૫ માં વર્ષ નિમિતે વિદ્યાર્થીઓમાં ભારતની અસ્મિતા અને દેશ પ્રત્યે ગર્વ થાય તેવા ઉમદા હેતુથી ભારત જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં યોજાનાર આ પરીક્ષામાં કોઈ પણ સ્કૂલમાં ધો. ૫ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. અને સ્પર્ધામાં ભારત દેશ પર આધારિત ૨૫ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. જેના નિયત સમમર્યાદામાં જવાબ લખવાના રહેશે.ધોરણ ૫ થી ૭, ધોરણ ૮ અને ૯ તેમજ ધોરણ ૧૦, ૧૧, ૧૨ એમ ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે અને ત્રણેય ગૃપમાંથી ૧૦-૧૦ વિજેતા બાળકોને પુરસ્કાર સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ પરીક્ષા ભારત જ્ઞાન પરીક્ષા કાલે ૧૫ ઓગસ્ટે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી નીલકંઠ સ્કૂલ ખાતે યોજાશે