મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે  નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે


SHARE















મોરબીમાં કાલે  નીલકંઠ સ્કૂલ ખાતે ઓપન મોરબી ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ અને રાષ્ટ્રસેવાને સમર્પિત ઇન્ડિયન લોયોનેશ ક્લબના સયુંકત ઉપક્રમે આઝાદીના ૭૫ માં વર્ષ નિમિતે વિદ્યાર્થીઓમાં ભારતની અસ્મિતા અને દેશ પ્રત્યે ગર્વ થાય તેવા ઉમદા હેતુથી ભારત જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં યોજાનાર આ પરીક્ષામાં કોઈ પણ સ્કૂલમાં ધો. ૫ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. અને સ્પર્ધામાં ભારત દેશ પર આધારિત ૨૫ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. જેના નિયત સમમર્યાદામાં જવાબ લખવાના રહેશે.ધોરણ ૫ થી ૭, ધોરણ ૮ અને ૯  તેમજ ધોરણ ૧૦, ૧૧, ૧૨ એમ ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે અને ત્રણેય ગૃપમાંથી ૧૦-૧૦ વિજેતા બાળકોને પુરસ્કાર સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ પરીક્ષા ભારત જ્ઞાન પરીક્ષા કાલે ૧૫ ઓગસ્ટે સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી નીલકંઠ સ્કૂલ ખાતે યોજાશે 






Latest News