મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલ અને એસીબી દ્વારા તિરંગા યાત્રા યોજાઇ


SHARE















મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલ અને એસીબી દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

મોરબી જીલ્લામાં આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું વીરપર પાસે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી તો મોરબી ટાઉનમાં તિરંગા યાત્રાનુ એસીબી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને મોરબી એસીબી પીઆઇ પ્રવીણ ગઢવી તથા સ્ટાફ અને વોરા સમાજ તથા મૌલાઇ રાજાસાહેબ દરગાહ સંસ્થાનના પી.આર.ઓ. જુઝેર એમ. અમીન અને વોરા સમાજ ના વિદ્યાર્થી તથા સ્થાનિક પ્રજાજનોએ ભાગ લીધો જે તિરંગા યાત્રા એસીબી પોલીસ સ્ટેશનથી વિશીપરા, મણીમંદિર, મયુરપૂલ, નટરાજ ફાટક, ગેંડાસર્કલ, તાલુકા પોલીસ સ્ટેશન થઈ પરત એસીબી પોલીસ સ્ટેશન આવેલ. તિરંગા યાત્રા દરમ્યાન  ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને લાચ રૂશ્વત વિરોધ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી






Latest News