મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલ અને એસીબી દ્વારા તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં નવયુગ શૈક્ષણિક સંકુલ અને એસીબી દ્વારા તિરંગા યાત્રા યોજાઇ

મોરબી જીલ્લામાં આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું વીરપર પાસે નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી તો મોરબી ટાઉનમાં તિરંગા યાત્રાનુ એસીબી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું અને મોરબી એસીબી પીઆઇ પ્રવીણ ગઢવી તથા સ્ટાફ અને વોરા સમાજ તથા મૌલાઇ રાજાસાહેબ દરગાહ સંસ્થાનના પી.આર.ઓ. જુઝેર એમ. અમીન અને વોરા સમાજ ના વિદ્યાર્થી તથા સ્થાનિક પ્રજાજનોએ ભાગ લીધો જે તિરંગા યાત્રા એસીબી પોલીસ સ્ટેશનથી વિશીપરા, મણીમંદિર, મયુરપૂલ, નટરાજ ફાટક, ગેંડાસર્કલ, તાલુકા પોલીસ સ્ટેશન થઈ પરત એસીબી પોલીસ સ્ટેશન આવેલ. તિરંગા યાત્રા દરમ્યાન  ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અને લાચ રૂશ્વત વિરોધ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી






Latest News