ના હોય, મોરબીમાં આન, બાન અને શાનથી સ્મશાનમાં પણ લહેરાયો તિરંગો !
Morbi Today
મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં નવજીવન વિધાલય-ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે વકૃત્વ સ્પર્ધા-તિરંગા યાત્રા યોજાઇ
મોરબીના રવાપર પાસે આવેલ નવજીવન વિધાલય અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના વિધાર્થીઓ દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે બંને શાળાના વિધાર્થીઓએ સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે શાળામાથી હર ઘર તિરંગાના અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજી હતી અને ભારતની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવીરોના જીવન ચરિત્ર અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હાતું જેમાં શાળામાં ૧૮૦૦ જેટલા વિધાર્થીઓએ હર્ષભેર ભાગ લઈ આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી અને આ તકે વિજેતા વિધાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી બી.ડી. પાડલિયા સહિતનાઓ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા









