મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં લોડર નીચે કચડીને નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ


SHARE













મોરબીમાં લોડર નીચે કચડીને નિંદ્રાધીન મહિલાનું મોત નિપજાવનાર વાહન ચાલકની ધરપકડ

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાની અંદર થોડા દિવસો પહેલા ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં લોડર ચાલકે બે નિંદ્રાધીન મહિલાઓને હડફેટે લીધી હતી જે પૈકી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું અને તેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે લોડરના ચાલકની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર રવાપર (નદી) ગામની સીમમાં એક્સ્પર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં લોડર ચાલકે બેદરકારી પૂર્વક તેનું વાહન ચલાવ્યું હતું અને નિંદ્રાધીન ભુરીબેન દીપકભાઈ પારઘી (૨૨) અને રાધિકાબેન પથુભાઈ મોહિની (૨૧)ને હડફેટે લીધા હતા જે પૈકીનાં ભુરીબેન દીપકભાઈ પારઘીનું વાહન નીચે કચડાઈ જવાથી મોત નીપજયું હતું જેથી કરીને મૃતક મહિલાના પતિ દીપકભાઈ માંગીલાલ પારઘી (ઉમર 30)ની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી તાલુકા પીએસઆઈ જેઠવા અને ફિરોઝભાઈ સુમરા દ્વારા આરોપી લોડર ચાલક સંતોષભાઈ સોહનભાઈ મિનારે જાતે ભીલ (૨૩) હાલ રહે. રવાપર નદી એકસપાર્ટ પાર્ટીકલ બોર્ડ મૂળ એમપી વાળાની ની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગળાફાંસો ખાઈ જતા યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા વિજય દોલુભાઈ અગેચાણીયા નામના ૩૦ વર્ષીય યુવાને તેના ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતુ કે પત્ની પોતાના બે સંતાનોને લઈને સાતમ-આઠમ કરવા પીયર જતી રહેતા એકલવાયું લાગતા તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું..!






Latest News