મોરબીના અક્ષર પેલેસ- ગોકળ મથુરા સોસાયટીમાં ભારત માતાનુ પૂજન કરાયું
મોરબીની ત્રણ શાળાઓએ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ક્ષેત્રે શહેરને અપાવ્યું ગૌરવ
SHARE
મોરબીની ત્રણ શાળાઓએ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ક્ષેત્રે શહેરને અપાવ્યું ગૌરવ
દર વર્ષે સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવે છે. ગત વર્ષે લેવાયેલી આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં સંખ્યાની દૃષ્ટિએ પ્રથમ નંબરે મોરબીની સાર્થક વિદ્યામંદિર ,દ્વિતીય નંબરે નાલંદા વિદ્યાલય અને તૃતિય નંબરે મોરબીની શિશુમંદિર રહી હતી અને જૂનાગઢના ચાપરડા ખાતે યોજાયેલ પ્રાંતીય સંમેલનમાં મોરબીની આ શાળાઓને સન્માન એવૉર્ડ આપવામાં આવ્યો હતો અને ગઇકાલે સાર્થક વિદ્યામંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જયશંકરભાઈ રાવલ (અધ્યક્ષ સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય, અધ્યક્ષ શ્રી સૌરાષ્ટ્ર પ્રાંત સંસ્કૃત ભારતી) હાજર રહ્યા હતા અને ત્યારે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પૈકી વિશેષ યોગ્યતા મેળવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ વર્ષે સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપવા ઇચ્છતા વ્યક્તિઓ અથવા સંસ્થા ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ રાવલ(૯૭૧૨૨ ૩૨૦૮) નો સંપર્ક કરવાનો રહેશે