મોરબી એલસીબીએ માળીયા વનાળીયા સોસાયટીમાંથી મહિલા બુટલેગરનો ૨૮૦ લીટર દારૂ પકડ્યો
મોરબીમાં બાગાયતદાર ખેડૂતોને ફળઝાડ વાવેતરની સહાય મેળવવા ૩૧ ઓગસ્ટ સુધી જરૂરી કાગળો રજૂ કરવાના રહેશે
SHARE
મોરબીમાં બાગાયતદાર ખેડૂતોને ફળઝાડ વાવેતરની સહાય મેળવવા ૩૧ ઓગસ્ટ સુધી જરૂરી કાગળો રજૂ કરવાના રહેશે
મોરબી જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને વર્ષ ૨૦૨૦-૨૧ તથા ૨૦૨૧-૨૨ ના વર્ષમાં ફળઝાડ વાવેતર કરેલ હોય અને પ્રથમ વર્ષની સહાય મેળવેલ હોય તેવા ખેડૂતોને બીજા તથા ત્રીજા વર્ષ માટે ફળઝાડ વાવેતરની સહાય મેળવવા માટેના જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજૂ કરેલ ન હોઇ તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાથી વંચિત ન રહી જાય તે હેતુથી નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ.જાતિ), અરજીપત્રક વગેરે જેવા સાધનિક કાગળો રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, સામાકાંઠે લાલબાગ (ફોન નંબર ૦૨૮૨૨-૨૪૧૨૪૦) મોરબી-૨ ના સરનામે ૩૧-૮-૨૨ સુધીની સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકે યાદીમાં જણાવેલ છે.