મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પસાર થતો જામનગર કચ્છ કોસ્ટલ હાઇવે બંધ: કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન !


SHARE







મોરબી નજીકથી પસાર થતો જામનગર કચ્છ કોસ્ટલ હાઇવે બંધ: કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન !

મોરબી જિલ્લામાંથી પસાર થતો જામનગર કચ્છ કોસ્ટલ હાઇવે છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદના લીધે નદીનું પાણી ડાયવર્ઝન ઉપર આવી જવાના લીધે બંધ થઈ ગયો છે અને બ્રિજ બનાવવાની કામગીરી કરી રહેલા કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે હાલમાં વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને વરસાદી પાણીના લીધે ડાયવર્જનને ધોવાઈ ગયું હોવાથી સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે અને જામનગર થી કચ્છ બાજુ જવા માટે થઈને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે

જામનગર જિલ્લામાંથી કચ્છ તરફ જવા માટે થઈને કોસ્ટલ હાઈવે મોરબી જિલ્લામાંથી પસાર થાય છે અને મોરબી જિલ્લાના આમરણ પાસેથી આ રસ્તો પસાર થતો હોય તે રસ્તાને મજબુત બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને રસ્તામાં આવતા પુલિયા, નાલાઓને પણ મજબૂત બનાવવા માટેની કામગીરીના ભાગરૂપે તે નવા પુલ બનાવવામાં આવી રહ્યા છે દરમ્યાન હજનારી ગામ પાસે નવો પુલ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને લગભગ ચાર મહિના પહેલા સ્થાનિક ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને ઝડપથી કામ કરવા માટે અને ડાઈવર્જનને મજબૂત બનાવવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી હતી

તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા તે મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો જેથી કરીને છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે બીલીયા, બગથળા સહિતના ગામોમાં પડેલા વરસાદના લીધે હજનારી પાસે જે ડાવર્જન બનાવવામાં આવ્યું છે તે ડાવર્જન ઉપર પાણી ફરી વળ્યું છે જેના લીધે ડાયવર્જન સંપૂર્ણ તૂટી ગયો છે જેથી કરીને વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને આ રસ્તા ઉપરથી વાહનો પસાર થઈ શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી હાલમાં જામનગર થી કચ્છ બાજુ અથવા તો કચ્છ બાજુથી જામનગર તરફ જવા માટે વાહન ચાલકોને લગભગ ૫૦ કિલોમીટર સુધીનો ફેરો ફરવા માટે જોવો પડે છે






Latest News