મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં તહેવારો ટાણે જ અંધારપટ: મહેશ રાજ્યગુરૂ


SHARE







મોરબી પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં તહેવારો ટાણે જ અંધારપટ: મહેશ રાજ્યગુરૂ

મોરબી શહેરની એ ગ્રેડની ભાજપ સાસિત નગરપાલિકા જાણે ફક્ત અને ફક્ત તાયફાઓ કરી પ્રજાના પૈસાનો ગેર ઉપયોગ કરતી હોય તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા કરવામાં આવ્યો છે કેમ કે, હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમાં મોરબી નગરપાલિકા વોર્ડ નં-૩ માં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકાની ઘણી સ્ટ્રીટ લાઇટો બંધ છે જેથી આ વોર્ડમાં તહેવાર ઉપર અંધકાર છવાયેલો છે

મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ જણાવ્યુ છે કે, નટરાજ ફાટકથી વેજીટેબલ સુધી  મેઇન રોડ ઉપર લાઈટો બંધ !, તેવી જ રીતે સોસાયટીમાં આશરે ૭૦ ટકા  જેટલી લાઇટો બંધ !, તો પણ તેને રીપેર કરવામાં આવી રહી નથી અને તહેવાર ઉપર શેરી ગાલ્લીઓમાં અંધકાર છે તો પછી પ્રજા નગરપાલિકામાં જે ટેક્સ ભરે છે તે રકમનો ઉપયોગ શું માત્ર તાયફઓ કરવા માટે જ કરવામાં આવે છે તેવો અણીદાર સવાલ પણ કર્યો છે શા માટે આ વોર્ડના લોકોને પાલિકા દ્વારા સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી

શહેરના મોટાભાગના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ખાડા છે જેથી કરીને લોકોના વાહન લઈને જવું તો ઠીક પરણતું ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આ રસ્તા ઉપરથી કોઈ બીમાર વ્યકતી કે સગર્ભા મહિલાને વાહનમાં દવાખાને લઈ જવાના થાય તો તે દર્દીની તકલીફ પણ વધી જાય છે અને લોકોના વાહનોમાં પણ નુકશાની આવે છે આમ પાલિકાના નીંભર અને અણઆવડત ભર્યા વહીવટથી પ્રજા થાકી ગયેલ છે અને વોર્ડ નંબર ૩ માંથી જ પાલિકાના ઉપપ્રમુખ ચૂંટાયેલ છે તો પણ આ વિસ્તાર પ્રત્યે કેમ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે

વધુમાં તેમણે કહ્યું છે કે, મોરબીની પ્રજાએ ભાજપને બાવને-બાવન સદસ્ય ચૂટવીને પાલિકાનો "વહીવટ" સોપેલ પરંતુ સતા ચલાવતા નથી આવડતું એવા લોકો સત્તામાં છે જેથી કરીને લોકોની સમસ્યાઓ ઉકેલવાના બદલે વધી રહી છે જેથી કરીને કમિશનની ચિંતા કર્યા વગર સારા કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે હાલ મોરબી શહેરમાં નકાર્ગાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયેલ છે. ત્યારે વોર્ડ નંબર ૩ તેમજ શહેરના તમામ વોર્ડમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટ ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાને માંગ કરી છે






Latest News