મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની ક્રાંતિકારી સેનાએ નેચાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં મનાવ્યો ગુમનામી દિવસ


SHARE









મોરબીની ક્રાંતિકારી સેનાએ નેચાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં મનાવ્યો ગુમનામી દિવસ

18 ઓગસ્ટ, 1945 ના રોજ નેતાજી હવાઈ જહાજથી મંચુરિયા તરફ જઇ રહ્યા હતા.આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા હતા.ત્યાર બાદ તેઓ ક્યારેય કોઇની નજરે ન આવ્યા.

23 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાનની દોમેઈ ખબર સંસ્થાએ દુનિયાને ખબર આપી હતી કે 18 ઓગસ્ટ, 1945 ના રોજ, નેતાજીનુ હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા નેતાજીને હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો.

સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકાર દ્વારા આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977 માં બે વખત આયોગને નિયુક્ત કરાયો.બંને વખત એ નતીજો નીકળ્યો કે નેતાજીએ વિમાન દુર્ઘટનામાં જ અંતિમ શ્વાસ લીધા હતા.પરંતુ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી તે તાઇવાન દેશની સરકાર પાસેથી તો આ બંને આયોગોની વાત જ નહોતી કરેલી.

2005માં તાઇવાન સરકારે બતાવી દીધું કે 1945 માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ન હતું.ત્યારથી આજ સુધી ભારત સરકાર પાસે નેતાજીનું મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ પુરાવો નથી..?!

અમુક ઇતિહાસકારોના મત અનુસાર નેતાજી ગુમનામી બાબા તરીકે જીવ્યા હતા, જ્યારે અમુક ઇતિહાસકારોના કહેવા પ્રમાણે તેઓ દુર્ઘટનામાં જ મૃત્યુ પામ્યા હતા.પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુનો ચોક્કસ પુરાવો આજ સુધી મળ્યો નથી. 
18 ઓગસ્ટ , 1945નાં દિવસ પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું એ ભારતના ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય બની ગયું છે.આથી ક્રાંતિકારી સેના દ્વારા આજથી 18 ઓગસ્ટનાં દિવસને ગુમનામી દિવસ તરીકે ઉજવવામાં આવશે.






Latest News