મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની ક્રાંતિકારી સેનાએ નેચાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં મનાવ્યો ગુમનામી દિવસ


SHARE















મોરબીની ક્રાંતિકારી સેનાએ નેચાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં મનાવ્યો ગુમનામી દિવસ

18 ઓગસ્ટ, 1945 ના રોજ નેતાજી હવાઈ જહાજથી મંચુરિયા તરફ જઇ રહ્યા હતા.આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા હતા.ત્યાર બાદ તેઓ ક્યારેય કોઇની નજરે ન આવ્યા.

23 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાનની દોમેઈ ખબર સંસ્થાએ દુનિયાને ખબર આપી હતી કે 18 ઓગસ્ટ, 1945 ના રોજ, નેતાજીનુ હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા નેતાજીને હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો.

સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકાર દ્વારા આ ઘટનાની તપાસ કરવા હેતુ , 1956 અને 1977 માં બે વખત આયોગને નિયુક્ત કરાયો.બંને વખત એ નતીજો નીકળ્યો કે નેતાજીએ વિમાન દુર્ઘટનામાં જ અંતિમ શ્વાસ લીધા હતા.પરંતુ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી તે તાઇવાન દેશની સરકાર પાસેથી તો આ બંને આયોગોની વાત જ નહોતી કરેલી.

2005માં તાઇવાન સરકારે બતાવી દીધું કે 1945 માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયું ન હતું.ત્યારથી આજ સુધી ભારત સરકાર પાસે નેતાજીનું મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ પુરાવો નથી..?!

અમુક ઇતિહાસકારોના મત અનુસાર નેતાજી ગુમનામી બાબા તરીકે જીવ્યા હતા, જ્યારે અમુક ઇતિહાસકારોના કહેવા પ્રમાણે તેઓ દુર્ઘટનામાં જ મૃત્યુ પામ્યા હતા.પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુનો ચોક્કસ પુરાવો આજ સુધી મળ્યો નથી. 
18 ઓગસ્ટ , 1945નાં દિવસ પછી નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું એ ભારતના ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય બની ગયું છે.આથી ક્રાંતિકારી સેના દ્વારા આજથી 18 ઓગસ્ટનાં દિવસને ગુમનામી દિવસ તરીકે ઉજવવામાં આવશે.






Latest News