ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત
SHARE
ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની આઠ વર્ષની દીકરી વાડીમાં હતી ત્યારે સાપ કરડી જતા બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રતિલાલ ખંભાણીની વાડીએ રહેતાને ત્યાં મજૂરી કામ કરતા જાન્યાભાઈ ભુરીયાની દીકરી સંજનાબેન (ઉંમર ૮) વાડીએ હતી ત્યારે તા. ૨૦ ના રોજ બપોરના ૧૧ વાગ્યાના અરસામાં તેને જમણા પગે સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધારેલ છે