માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત


SHARE













ટંકારાના હરબટીયાળી ગામે સાપ કરડી જવાથી સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની આઠ વર્ષની દીકરી વાડીમાં હતી ત્યારે સાપ કરડી જતા બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રતિલાલ ખંભાણીની વાડીએ રહેતાને ત્યાં મજૂરી કામ કરતા જાન્યાભાઈ ભુરીયાની દીકરી સંજનાબેન (ઉંમર ૮) વાડીએ હતી ત્યારે તા. ૨૦ ના રોજ બપોરના ૧૧ વાગ્યાના અરસામાં તેને જમણા પગે સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવવાની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધારેલ છે






Latest News