મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી


SHARE







રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી

છેલ્લા ઘણા દિવસોથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર હતા જેથી કરીને ગામે ગામે લોકોના કામો ખોરવાઈ ગયા હતા જેથી કરીને આજે  મોરબી માળીયાના ધારસભ્ય અને પંચાયત મંત્રીની હાજરીમાં મિટીંગ ગાંધીનગરમાં હતી જેમા પાંચ પૈકીના ત્રણ પ્રશ્નો ઉકેલાઇ જતા હડતાળનુો સુખદ અંત આવ્યો છે

મોરબી જીલ્લા સહિત ગુજરાતની ગ્રામ પંચાયતમાં કામ કરતા તલાટીઓના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા ન હતા જેથી કરીને રાજ્યના તલાટી મંડળ દ્વારા કરવામાં આવેલ હડતાલના કારણે ગામડામાં લોકોના કામો અટકી ગયા હતા જેથી પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હાજરીમાં રાજ્ય તલાટી મંડળના હોદેદારોની મિટીંગ યોજાઇ હતી જેમા મંત્રીની દરમ્યાનગીરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન મુજબ પાંચ પૈકીની ત્રણ માંગણીઓ સંતોષવામાં આવી છે જેથી કરીને મોરબી જીલ્લાના ૨૪૫ તલાટીઓ સહિત રાજ્યના તલાટીઓ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલ પુરી કરવામાં આવી છે જે માગણી સંતોષવામાં આવી છે તેમાં વર્ષ 2006 પહેલા તલાટી મંત્રી તરીકે જોડાયેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણવામાં આવશે, તેમજ જોબ ચાર્ટ માટે મહેસુલ, પંચાયત અને સામાન્ય વિભાગના અધિક સચિવની એક કમિટી બનાવવામાં આવી છે અને ઉચ્ચતર પગાર ધોરણ માટેની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે જોકે બઢતી માટે પરીક્ષા આપવી પડશે






Latest News