મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી


SHARE









રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં તલાટીઓની હડતાલ સમેટાઇઃ પાંચ પૈકીના ત્રણ માંગણી સંતોષાયી

છેલ્લા ઘણા દિવસોથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર હતા જેથી કરીને ગામે ગામે લોકોના કામો ખોરવાઈ ગયા હતા જેથી કરીને આજે  મોરબી માળીયાના ધારસભ્ય અને પંચાયત મંત્રીની હાજરીમાં મિટીંગ ગાંધીનગરમાં હતી જેમા પાંચ પૈકીના ત્રણ પ્રશ્નો ઉકેલાઇ જતા હડતાળનુો સુખદ અંત આવ્યો છે

મોરબી જીલ્લા સહિત ગુજરાતની ગ્રામ પંચાયતમાં કામ કરતા તલાટીઓના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવ્યા ન હતા જેથી કરીને રાજ્યના તલાટી મંડળ દ્વારા કરવામાં આવેલ હડતાલના કારણે ગામડામાં લોકોના કામો અટકી ગયા હતા જેથી પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હાજરીમાં રાજ્ય તલાટી મંડળના હોદેદારોની મિટીંગ યોજાઇ હતી જેમા મંત્રીની દરમ્યાનગીરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન મુજબ પાંચ પૈકીની ત્રણ માંગણીઓ સંતોષવામાં આવી છે જેથી કરીને મોરબી જીલ્લાના ૨૪૫ તલાટીઓ સહિત રાજ્યના તલાટીઓ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલ પુરી કરવામાં આવી છે જે માગણી સંતોષવામાં આવી છે તેમાં વર્ષ 2006 પહેલા તલાટી મંત્રી તરીકે જોડાયેલા કર્મચારીઓની નોકરી સળંગ ગણવામાં આવશે, તેમજ જોબ ચાર્ટ માટે મહેસુલ, પંચાયત અને સામાન્ય વિભાગના અધિક સચિવની એક કમિટી બનાવવામાં આવી છે અને ઉચ્ચતર પગાર ધોરણ માટેની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી છે જોકે બઢતી માટે પરીક્ષા આપવી પડશે






Latest News