સુરતમાં વકીલ ઉપર હુમલાનો મોરબીમાં પડઘો: ગુરુવારે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત
SHARE
ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત
ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે અંબાજી પાસે રબારી સમાજના પરિવારને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી છે
ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) ઈ-મેઈલ મારફતે મુખ્યમંત્રીને હાલમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અંબાજી નજીક આબુ હાઈવે પર માલધારી પરિવાર રબારી ગણેશભાઈ જોઈતાભાઈ પોતાના માલઢોર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે શિતળા માતાના મંદિર પાસે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને ટ્રેઈલર ચાલકે ગણેશભાઈ તેમજ માલઢોરને અડફેટે લેતાં ગણેશભાઈ તેમજ ૧૩ ભેંસો અને ૧ ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ ઘટનામાં મૃત્યુ પામેલા ગણેશભાઈના પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી છે