મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત


SHARE







ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે સીએમને કરી રજૂઆત

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખે અંબાજી પાસે રબારી સમાજના પરિવારને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી છે

ગુજરાત માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) ઈ-મેઈલ મારફતે મુખ્યમંત્રીને હાલમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અંબાજી નજીક આબુ હાઈવે પર માલધારી પરિવાર રબારી ગણેશભાઈ જોઈતાભાઈ પોતાના માલઢોર લઈને પરત આવી રહ્યા હતા ત્યારે શિતળા માતાના મંદિર પાસે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને ટ્રેઈલર ચાલકે ગણેશભાઈ તેમજ માલઢોરને અડફેટે લેતાં ગણેશભાઈ તેમજ ૧૩ ભેંસો અને ૧ ગાયનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું આ ઘટનામાં મૃત્યુ પામેલા ગણેશભાઈના પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે તાત્કાલિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી છે






Latest News