મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન
સુરતમાં વકીલ ઉપર હુમલાનો મોરબીમાં પડઘો: ગુરુવારે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
SHARE
સુરતમાં વકીલ ઉપર હુમલાનો મોરબીમાં પડઘો: ગુરુવારે વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
તાજેતરમાં સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં ગુરૂવારે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે જેના માટેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે.
મોરબી બાર એસો,ના પ્રમુખ જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર હીંચકારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી મોરબીના વકીલો તા.૨૫ ને ગુરૂવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે. અને વકીલ ઉપર કરવામાં આવેલા હુમલાના બનાવને મોરબી બાર એસો.એ સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ તટસ્થ તપાસ કરવા ગૃહમંત્રીને અનુરોધ કર્યો છે અને આરોપીઓ તરફે કોઈપણ વકીલે નહી રોકાવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.