મોરબીમાં એ નેગેટિવ બ્લડની યુવા આર્મી ગ્રુપે તાત્કાલિક વ્યવસ્થા કરાવી આપી
મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત
SHARE
મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત
ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે અને કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ મેઘમહેર થવાથી હાલમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખે સીએમને લેખિત રજૂઆત કરીને મોરબી અને માળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી હતી.
મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલીયાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા એક દોઢ મહિનાથી મોરબી અને માળીયા(મી)માં નિરંતર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી પડેલા વરસાદના લીધે બન્ને તાલુકાના ઘણાખરા ખેડૂતોને ઉભા પાકને નુકશાન થયુ છે તેમજ આગામી સમયમાં ભારે વરસાદને પગલે હજુ પણ નુકશાન થાય તેમ છે જેથી કરીને તમામ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે મોરબી અને માળીયા(મી) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે









