મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત


SHARE













મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત

ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે અને કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ મેઘમહેર થવાથી હાલમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખે સીએમને લેખિત રજૂઆત કરીને મોરબી અને માળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી હતી.

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલીયાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા એક દોઢ મહિનાથી મોરબી અને માળીયા(મી)માં નિરંતર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ  દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી પડેલા વરસાદના લીધે બન્ને તાલુકાના ઘણાખરા ખેડૂતોને ઉભા પાકને નુકશાન થયુ છે તેમજ આગામી સમયમાં ભારે વરસાદને પગલે હજુ પણ નુકશાન થાય તેમ છે જેથી કરીને તમામ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે મોરબી અને માળીયા(મી) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે






Latest News