મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત


SHARE













મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત

ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે અને કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ મેઘમહેર થવાથી હાલમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખે સીએમને લેખિત રજૂઆત કરીને મોરબી અને માળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી હતી.

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલીયાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા એક દોઢ મહિનાથી મોરબી અને માળીયા(મી)માં નિરંતર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ  દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી પડેલા વરસાદના લીધે બન્ને તાલુકાના ઘણાખરા ખેડૂતોને ઉભા પાકને નુકશાન થયુ છે તેમજ આગામી સમયમાં ભારે વરસાદને પગલે હજુ પણ નુકશાન થાય તેમ છે જેથી કરીને તમામ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે મોરબી અને માળીયા(મી) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે






Latest News