રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો


SHARE









વાંકાનેરના કોટડા નાયાણીમાં તળાવ કાંઠે મહિલા ન્હાતી હોય ત્યાંથી નીકળેલા જેસીબીના ડ્રાઈવરને ઠપકો આપનારા યુવાન અને મહિલા સહિત ત્રણને માર માર્યો

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે તળાવ કાંઠે મહિલા ન્હાવા માટે જતા હોય છે ત્યાંથી જેસીબીનો ડ્રાઇવર તેનું વાહન લઈને નીકળતા તેને રોકીને ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાન અને મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને કુહાડી, ઘોકા અને પાવડા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા હરેશભાઈ જયંતીભાઈ સોલંકી (ઉંમર ૨૭) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બળદેવસિંહ બળુભા નોંઘુભા જાડેજા, દેવુભા બળદેવસિંહ જાડેજા અને માલદેવસિંહ ઉર્ફે માલુભા માઘુભા રહે. ત્રણેય કોટડા નાયાણી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, બળદેવસિંહ જાડેજાના જેસીબીનો ડ્રાઇવર તળાવના કાંઠેથી જેસીબી લઈન નીકળ્યો હતો ત્યારે ફરિયાદીના ઘરના ત્યાં નાહવા ધોવા માટે ગયા હતા તે બાબતે તેને ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નહીં લાગતા તેનું મન દુઃખ રાખીને બળદેવસિંહ જાડેજા સહિતના ત્રણેય શખ્સો તેની પાસે આવ્યા હતા અને યુવાનને બળદેવસિંહે કુહાડી વડે માર માર્યો હતો તેમજ દેવુભાઈએ પાવડાથી અને માલદેવસિંહએ લાકડી વડે અને ઢીકા પાટુનો માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં સંજયભાઈ તેમજ જશુબેનને પણ પાવડા અને ધોકા વડે માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા હરેશભાઈ સોલંકીએ સારવાર લીધા બાદ હાલમાં ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News