મોરબી-માળીયા તાલુકામાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ઠેરઠેર અભૂતપૂર્વક આવકાર
વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રી માટે મેદાનનો આજે સાંજ સુધીમાં ફેંસલો: વહીવટદાર
SHARE
વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રી માટે મેદાનનો આજે સાંજ સુધીમાં ફેંસલો: વહીવટદાર
વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવતી હતી તેની હરરાજી કરવામાં માટેની કવાયત કરવામાં આવી રહી છે જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશઉત્સવ તથા નવરાત્રી ઉત્સવ માટેના કાયમી મેદાનને ટોકન ભાડે આપવા માટેની માંગ સાથે સોમવારથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે બીજી કોઇનુ પણ નામ લખ્યા વગર વાંકાનેરમાં પત્રિકા વાઇરલ કરવામાં આવી છે ત્યારે વિવાદિત મેદાન મુદે આજે સાંજ સુધીમાં ફેંસલો કરવામાં આવશે તેવું પાલિકાના વહિવતદારે જણાવ્યુ છે
વાંકાનેર પાલિકામાં ભાજપની સામે બળવો કરીને ભાજપના સભ્યો દ્વારા અપક્ષ પ્રમુખ, ઉપપ્રમુખને ચુંટી કાઢવામાં આવ્યા હતા ત્યારથી વાંકાનેર પાલિકા ભાજપને કણાની જેમ ખૂંચતી હતી અને થોડા સમય પહેલા સરકાર દ્વારા વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે ત્યાર બાદ મેળાના મેદાનની હરરાજી કરવામાં આવી હતી જેમાં પાલિકના તોતિંગ આવક થઈ હતી અને હવે ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન હરરાજી કરવા માટેનો પ્લાન કરવામાં આવ્યો છે જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી સોમવારથી ઉપવાસ ઉપર બેઠેલ છે અને ત્યાર બાદ જે પાર્ટીઓ દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી છે તેની પાલિકાના વહીવટદાર દ્વારા મિટિંગ પણ બોલાવવામાં આવી હતી જો કે, હજુ સુધી કોઈ ફાઇનલ નિર્ણય મેદાનને લઈને કરવામાં આવેલ નથી
ત્યારે આ મુદે વાંકાનેરના મામલતદાર અને પાલિકાના વહીવટદાર કાનાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, ઉત્સવના આયોજન માટે જે ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી જીતુભાઈ સોમાણી, દીવાનપરા ગરબી મિત્રમંડળ અને મેહુલભાઈ ઠાકરાણી દ્વારા કરવામાં આવી છે તે તમામને બોલાવીને મેદાનની હરરાજી ન કરવી પડે તે માટે સમજાવવામાં આવ્યા છે અને પાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે ૫૦૦૦ ના ટોકન ભાવે આપવાની કોઈ નોંધ નથી જેથી કરીને પાલિકામાં ચૂંટાયેલી બોડી હોય તો તે નિર્ણય કરીને મેદાન ટોકન ભાડે આપી શકે છે જો કે, હાલમાં બોડી અસ્તિત્વમાં ન હોવાથી સરકારના નિયમ મુજબ જ મેદાનને ભાડે આપવાનું થાય છે જેથી ગણેશોત્સવ અને નવરાત્રીનું આયોજન કરવા માટેના મેદાન માટેનો આજે સાંજ સુધીમાં ફેંસલો કરવામાં આવશે