મોરબીમાં દેરાસર પાસે ભરાયેલ વરસાદી પાણીનો પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહે માથે ઊભા રહીને નિકાલ કરાવ્યો
મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે
SHARE
મોરબીની ઓમશાંતિ સ્કૂલમાં માટીના ઇકો ફ્રેંડલી ગણેશજી બનાવવા માટે વર્કશોપ યોજાશે
આગામી દિવસોમાં ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે લોકો ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ જાતે બનાવે તે માટે તા. ૨૮ ઓગસ્ટના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા ત્યારે ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજી મૂર્તિઓ બનાવવતા શિખડાવશે
મોરબીમાં ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યા છે ત્યારે લોકો પીઓપીની એક અન્ય મુર્તિ લેવાના બદલે ઇકો ફ્રેંડલી મુર્તિનો ઉપયોગ કરે તે માટે ત્યારે મોરબીમાં તા.૨૮ ઓગસ્ટના રોજ બપોરે ૩થી ૬ સુધી સરદાર બાગ સામે આવેલી ઓમ શાંતિ વિદ્યાલય ખાતે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં શિલ્પકાર કમલેશભાઈ નાગવડિયા દ્વારા માટીના ગણેશ બનાવવા માટેની તાલીમ આપવામાં આવશે આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફોર્મ મેળવીને જમા કરાવવાનું રહેશે. અને ફોર્મ શનાળા રોડ પરના ૬ વસંત પ્લોટમાં આવેલા ક્વિન કેક (૯૩૭૬૬ ૬૨૩૬૦) અને જીઆઈડીસી મેઈન રોડ પર આવેલા ગણેશ સિમેન્ટ (૯૨૨૮૮૯૭૩૭૨) લેવાનું અને ભરીને આપવાનું રહેશે