ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દેરાસર પાસે ભરાયેલ વરસાદી પાણીનો પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહે માથે ઊભા રહીને નિકાલ કરાવ્યો


SHARE













 

મોરબીમાં દેરાસર પાસે ભરાયેલ વરસાદી પાણીનો પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહે માથે ઊભા રહીને નિકાલ કરાવ્યો

 

મોરબીના વોર્ડ નં-૩ દેરાસર પાસે વરસ્દી પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને પર્યુષણ પર્વમાં જૈનો પરિવારોને દેરાસરમાં જવા આવવામાં તકલીફ પડતી હતી જેથી કરીને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા પાલિકાની મશીનરીને કામે લગાડીને ત્યાંથી ગંદકીને તાત્કાલિક દૂર કરવામાં આવેલ છે જેથી કરીને જૈન સમાજના લોકોએ પાલિકાના પદાધિકારી અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

 

મોરબીના વોર્ડ-૩ માં જૈન પરિવારો દેરાસરમાં ભગવાનનું પૂજન અર્ચન કરવા ન જય શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને આ અંગેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવતાની સાથે જ પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા લોકોની હલાકીને દૂર કરવા માટે ત્યાં પાલિકાની મશીનરીને કામે લગાવવામાં આવી હતી અને વોર્ડ નં- ૩ માં વરસાદી પાણી ભરાયું હતું તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને જૈન સમાજના લોકોને ગંદકીમાંથી પસાર થઈને દેવ દર્શન માટે જવું પડે તેવી પરિસ્થિતિ હતી તેમાંથી હાલમાં લોકોને રાહત મળી ગયેલ છે જો કે, જૈન દેરાસર પાસેના મેદાનમાં વરસાદી પાણી ભરાવું અને તેમાં ગટરનું પાણી આવવું તે આજ કે કાળનો નહીં પરંતુ વર્ષો જૂનો પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્નનો હંગામી ઉકેલ હાલમાં ભલે કરવામાં આવ્યો હોય પરંતુ ભવિષ્યમાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે કેમ કે, વરસાદ ગણતરીની કલાકોમાં પડે છે અને ત્યાર બાદ અઠવાડિયે કે પખવાડિયા સુધી ત્યાં વરસાદી પાણી ભરયેલું રહેતું હોય છે જેથી કરીને લોકોને ગંદકી વચ્ચેથી જ અવાર જવર કરવી પડતી હોય છે આ હકકીત છે. 

 

જોકે અરૂણોદયનગર વિસ્તારમાંથી જ આગળની અનેક સોસાયટીના વરસાદી પાણીનો નિકાલ મચ્છુ નદીમાં થતો હોવાના લીધે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે માટે જે બે જગ્યાએથી વરસાદી પાણીના નિકાલ છે તે પૈકી એક જગ્યાએ પાણીનો ટાંકો બન્યો હોય તેની કમ્પાઉન્ડ વોલમાંથી યોગ્ય નિકાલ કરવામાં આવે અને ઉમાટાઉનશીપની દિવાલ પાસેના ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણીના નિકાલની જગ્યા છે ત્યાં પણ પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો જ આ પ્રશ્નનો કાયમા ઉકેલ આવે તેમ છે તેમ સ્થાનીકો જણાવી રહ્યા છે.






Latest News