ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ


SHARE













ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ

ટંકારા તાલુકાનાં વિરપર ગામેથી ઉધારીમાં માલ આપ્યો હતો તે રૂપિયા માલ લેનારે આપ્યા ન હતા જેથી કરીને કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રકમ ન ચુકવનાર ટ્રેડિંગ કંપનીને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.


ટંકારાના વીરપર ગામે આવેલ એમ્પલ એલ્યુમીનીયમના ભાગીદારો ચતુરભાઈ માવજીભાઈ કાંજીયા અને કમલેશકુમાર નરશીભાઈ અમૃતિયાએ મોરબીના પંચાસર મેઈન રોડ પર આવેલ સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયા સામે એલ્યુમીનીયમના વેચાણ કરેલ માલ સામે ,૨૫,૨૮૭ લેણી રકમ હતી જે વ્યાજ સહીત વસુલવા માટે ટંકારા સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમ દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સહીત ચૂકવવાનો સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયાને હુકમ કર્યો છે આ કેસમાં એમ્પલ એલ્યુમીનીયમ ભાગીદારી પેઢીના ભાગીદારો વતી મોરબીના વકીલ અને નોટરી ભાવેશભાઈ ફૂલતરીયા અને આર.જે. જોષી રોકાયેલા હતા






Latest News