ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ
SHARE
ટંકારાના વિરપર ગામેથી ૪.૨૫ લાખનો માલ લઈને રૂપિયા ન આપનારને ૯ ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવવા આદેશ
ટંકારા તાલુકાનાં વિરપર ગામેથી ઉધારીમાં માલ આપ્યો હતો તે રૂપિયા માલ લેનારે આપ્યા ન હતા જેથી કરીને કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે રકમ ન ચુકવનાર ટ્રેડિંગ કંપનીને ૯ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.
ટંકારાના વીરપર ગામે આવેલ એમ્પલ એલ્યુમીનીયમના ભાગીદારો ચતુરભાઈ માવજીભાઈ કાંજીયા અને કમલેશકુમાર નરશીભાઈ અમૃતિયાએ મોરબીના પંચાસર મેઈન રોડ પર આવેલ સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયા સામે એલ્યુમીનીયમના વેચાણ કરેલ માલ સામે ૪,૨૫,૨૮૭ લેણી રકમ હતી જે વ્યાજ સહીત વસુલવા માટે ટંકારા સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા ટંકારા સિવિલ કોર્ટે લેણી રકમ દાવાની તારીખથી ૯ ટકા વ્યાજ સહીત ચૂકવવાનો સંતકૃપા ટ્રેડીંગ અને તેના ભાગીદાર હરજીવનભાઈ ગોવિંદભાઈ કાંજીયાને હુકમ કર્યો છે આ કેસમાં એમ્પલ એલ્યુમીનીયમ ભાગીદારી પેઢીના ભાગીદારો વતી મોરબીના વકીલ અને નોટરી ભાવેશભાઈ ફૂલતરીયા અને આર.જે. જોષી રોકાયેલા હતા