રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું


SHARE









વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશમાંથી શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને આવતા હોય છે અને શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે વાત કરીએ તો કેશોદ તાલુકાના પાણીધ્રા ગામે આવેલ મોગલ ધામના આઈ માં (પાણીધ્રા) મોરબી નજીકના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યા હતા અને મહાદેવનું પૂજન અર્ચન તેઓએ કર્યું હતું અને સોમવારના દિવસે મહાદેવજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં નીકળતી હોય છે તે શોભાયાત્રામાં હાલમાં આઈ માં જોડાયા હતા આ તકે તેઓની સાથે મોરબી રાજપૂત સમાજના અગ્રણી દશુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) તેમજ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલ ત્રિવેદી અને લઘુ મહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના લોકો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) પણ શિવજીના દર્શન અને પૂજન કરવા માટે થઈને જડેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી






Latest News