મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશમાંથી શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને આવતા હોય છે અને શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે વાત કરીએ તો કેશોદ તાલુકાના પાણીધ્રા ગામે આવેલ મોગલ ધામના આઈ માં (પાણીધ્રા) મોરબી નજીકના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યા હતા અને મહાદેવનું પૂજન અર્ચન તેઓએ કર્યું હતું અને સોમવારના દિવસે મહાદેવજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં નીકળતી હોય છે તે શોભાયાત્રામાં હાલમાં આઈ માં જોડાયા હતા આ તકે તેઓની સાથે મોરબી રાજપૂત સમાજના અગ્રણી દશુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) તેમજ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલ ત્રિવેદી અને લઘુ મહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના લોકો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) પણ શિવજીના દર્શન અને પૂજન કરવા માટે થઈને જડેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી






Latest News