ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું


SHARE













વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશમાંથી શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને આવતા હોય છે અને શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે વાત કરીએ તો કેશોદ તાલુકાના પાણીધ્રા ગામે આવેલ મોગલ ધામના આઈ માં (પાણીધ્રા) મોરબી નજીકના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યા હતા અને મહાદેવનું પૂજન અર્ચન તેઓએ કર્યું હતું અને સોમવારના દિવસે મહાદેવજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં નીકળતી હોય છે તે શોભાયાત્રામાં હાલમાં આઈ માં જોડાયા હતા આ તકે તેઓની સાથે મોરબી રાજપૂત સમાજના અગ્રણી દશુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) તેમજ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલ ત્રિવેદી અને લઘુ મહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના લોકો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) પણ શિવજીના દર્શન અને પૂજન કરવા માટે થઈને જડેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી






Latest News